મુઝફ્ફરપુર: AIMIMના નેતા વારિસ પઠાણ (Waris Pathan)ના વિવાદિત નિવેદન સામે મુઝફ્ફરપુરના એક મુસ્લિમ સામાજિક સંગઠને પુતળુ બાળીને વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં એવી જાહેરાત પણ કરવામાં આવી કે પઠાણનું માથું વાઢી લાવનારાને 11 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુઝફ્ફરનગર જિલ્લાના નગર પોલીસ સ્ટેશન હદના કંપની બાગ રોડમાં સામાજિક સંગઠન હક એ હિન્દુસ્તાન મોરચાના બેનર હેઠળ સંગઠનના સંભ્યોએ વારિસ પઠાણના નિવેદનનો ખુબ વિરોધ કર્યો અને પઠાણને દેશદ્રોહી ગણાવ્યો. અહીં હક એ હિન્દુસ્તાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક તમન્ના હાશમીએ  કહ્યું કે વારિસ પઠાણની ભાષા પાકિસ્તાનની ભાષા છે, તે દેશદ્રોહીઓની ભાષા છે અને અમે અમારા મોરચા તરફથી એ જાહેરાત કરીએ છીએ કે આવા આતંકીઓના માથા વાઢી નાખવામાં આવે. હાશમીએ એમ પણ કહ્યું કે જે વ્યક્તિ વારિસ પઠાણનું માથું વાઢીને લાવશે તેને અમારા મોરચા તરફથી 11 લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...